Showing posts with label Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs. Show all posts

Sunday, April 1, 2018

જીસેટ-6એનું સફળ પ્રક્ષેપણ

➥  ભારતના શક્તિશાળી કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-6એનું આજે ગુરુવારે સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સ્પેશ લોચિંગ સેન્ટરેથી આ ઉપગ્રહનું અંતરીક્ષગમન થયું છે.. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં ઉપગ્રહ સિમાચિન્હ સાબિત થશે.

➥  ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહના પ્રક્ષેપણ પછી ઈસરો કેટલીક મહત્વની સિસ્ટમનું પરીક્ષણ કરનાર છે. આ પૈકી કેટલીક સિસ્ટમ ચંદ્રયાન-2માં ગોઠવવામાં આવશે. ઉપગ્રહ આ ઉપરાંત ભારતીય સેના માટેની કમ્યુનિકેશન સિસ્ટમને વધુ સંગીન અને સુવિધાજનક બનાવશે.

➥  ઉગ્રપહ થકી હાઈ થર્સ્ટ ડેવલપમેન્ટ એન્જિન સહિતની અનેક સિસ્ટમનું પણ પરિક્ષણ થનાર છે. જેનો ઉપયોગ ચંદ્રયાન-2ના લોચિંગ માટે થઈ શકે છે. વર્તમાન વર્ષના ઓક્ટોબર સુધીમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાની શક્યતા છે.

➥  જીસેટ-6એનું વજન 2140 કિલો છે. શ્રીહરિસકોટાની સતીશ ધવન સ્પેસ સેન્ટરની બીજી લોંચ પેડથી જીસેટ-6એને લઈ જનાર જીએસએલવી એમકે-2 (જીએસએલવી-એફ08)નું પ્રક્ષેપણ કરાયું હતું. જીએસએલવી-એમકે 2નું આ 12મું ઉડ્ડયન હતું. ઈસરોના જણાવ્યા અનુસાર જીસેટ-6એ ઉપગ્રહ સંરક્ષણ સાથે સંકળાયેલી સેવાઓ પૂરી પાડશે.

➥  જીસેટ-6એમાં સામાન્ય કરતાં ત્રણો મોટો છ મીટર લાંબો એન્ટેના છે. આ એન્ટેના હેન્ડ હેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ દ્વારા કોઈ પણ જ્ગ્યાએથી મોબાઈલ કમ્યુનિકેશનને સરળ બનાવશે. હાલમાં જીસેટ-6 કેમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે.    

Friday, December 29, 2017

મંત્રી મંડળ

વિજય રૂપાણી સામાન્ય વહીવટ અને ગૃહ અને સાથે જ શહેરી વિકાસ પણ રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. ત્યારે ખાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સોંપવામાં આવ્યા છે.
ઇશ્વર પટેલ - સહકાર, રમત ગમત
વાસણ આહિર - સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
કુમાર કાનાણી - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાવરી દવે - મહિલા બાળ કલ્યાણ વિભાગ
રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા - ગૃહ, ઉર્જા અને સંસદિય બાબત, કાયદો
પરબત પટેલ - સિંચાઈ, પાણી પુરવઠો
પરસોત્તમ સોલંકી - મત્સ્ય ઉદ્યોગ
બચુ ખાબડ - ગ્રામગૃહ નિર્માણ
જયદ્રથસિંહ પરમાર - કૃષિ વિભાગ
રમણ પાટકર - વન અને આદિજાતી વિભાગ
કેબિનેટ પ્રધાન આર.સી.ફળદું - કૃષિ, ગ્રામ વિકાસ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણ
કૌશિક પટેલ - મહેસૂલ
સૌરભ પટેલ - નાણા, ઉર્જા
જયેશ રાદડીયા - અન્ન નાગરિક પુરવઠો
દિલીપ ઠાકોર - શ્રમ અને રોજગાર
ગણપત વસાવા - આદિવાસી વિકાસ, પ્રવાસન
ઇશ્વર પરમાર - સામાજિક ન્યાય અને આધિકારીતા

Wednesday, December 13, 2017

C Plane :: PM નરેન્દ્ર મોદી સી-પ્લેનની સફર

નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ સાબરમતી નદીમાં સી-પ્લેન મુસાફરી કરીને ધરોઈ ડેમ ખાતે લેન્ડિંગ કર્યું હતું ત્યાર બાદ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં.

સી-પ્લેનના વિદેશી પાયલટ જોન ગૌલેટ
સ્પાઇસ જેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી સી-પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરાયું હતું, જ્યાં કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સી-પ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Thursday, November 30, 2017

૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષ

ભારતનો ૧ રૂપિયો ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક ચીજ બની ગયો છે.
સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.
ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.
એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.
એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.
આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.

ગુજરાતના નવા ડીજીપી ઇનચાર્જ બન્યા પ્રમોદ કુમાર

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદ કુમારની વરણી
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે વયમર્યાદાને જોતા ડીજીપી પ્રમોદ કુમાર પણ માર્ચ 2018માં નિવૃત્ત થશે પણ ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે ડીજી તરીકે કામ ચાલુ રાખશે. નોંધનીય છે કે પ્રમોદ કુમાર 1983 બેચના અધિકારી છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા સમતે 3 નામોમાંથી પ્રમોદ કુમારના નામને લીલી ઝંડી આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ણય પછી હાલ 3 મહિના સુધી પ્રમોદ કુમાર આ પદ સંભાળશે.  ત્યારે નવા ડીજીપી તરીકે પ્રમોશન થતા પ્રમોદ કુમારના પરિવારજનો અને મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.

Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

Tuesday, November 28, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું.


હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા.
See more

Thursday, November 23, 2017

PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

manushi chhillar मिस वर्ल्‍ड मानुषी छिल्‍लर

Manushi Chhillar (born 14 May 1997) is an Indian model and beauty queen who was crowned Miss World 2017. She was previously crowned Femina Miss India 2017 on 25 June 2017. Chhillar is the sixth Indian woman to win Miss World, and the first since Priyanka Chopra won Miss World 2000.
 मिस वर्ल्‍ड 2017 का ख‍िताब जीतकर भारत का नाम रोशन करने वाली मानुषी छ‍िल्‍लर को दुनिया के कोने-कोने से बधाइयां मिल रही हैं. मानुषी जितनी खूबसूरत हैं उतनी अक्‍लमंद और हाजिरजवाब भी हैं. मिस वर्ल्‍ड के फाइनल राउंड में उन्‍होंने एक सवाल का ऐसा जवाब दिया कि दुनिया की सबसू खूबसूरत महिला का क्राउन उनके नाम हो गया. उनसे पूछा गया था कि किस प्रोफेशन को सबसे ज्‍यादा सैलरी मिलनी चाहिए. इस पर उन्‍होंने जवाब दिया था कि एक मां को सबसे ज्यादा इज्जत मिलनी चाहिए और जहां तक सैलरी की बात है, तो इसका मतलब रुपयों से नहीं बल्कि सम्मान और प्यार से है. उनके इस जवाब की खूब सराहना हो रही है. इस बीच कांग्रेस नेता शश‍ि थरूर ने मानुषी छिल्लर के सरनेम को करेंसी वाली चिल्लर से जोड़कर नोटबंदी के लिए बीजेपी को घेरने की कोशिश की थी.



Wednesday, November 22, 2017

ભારતની કુલ છ સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે.

✴અત્યાર સુધીમાં ભારતની કુલ છ સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે.

💠Trick 👉 RADU PM
R  - રીટા ફરીયા   1966
A. - એશ્વર્યા રાય. 1994
D  - ડાયના હેડન   1997
U  -  યૂક્તા મુખી.   1999
P  -. પ્રિયંકા ચોપરા. 2000
M  -  માનુષી છિલલર 2017
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


Sunday, October 22, 2017

Current Affairs

📖 રાષ્ટ્રીય

💮 દીપાવલીના ઉત્સવના ઉપક્રમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે લાખ દીવાઓ સહિત સરયુ નદીના કિનારે આયોજિત થનાર કાર્યક્રમમાં હાજર રહેશે…

💮 ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે…

💮 મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ખેડૂતો માટે ભવંતર ભુગતાન નામની યોજના શરુ કરેલ છે…

💮 મહિલાઓ વિરુદ્ધ મહિલાઓમાં લિંગ પૂર્વગ્રહને સમાપ્ત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘વુમન ફોર વુમન’ અભિયાનની શરૂઆત કરેલ છે.

💮 હાલ ભારતના મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે મેનકા સંજય ગાંધી સેવારત છે.

💮 ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ આયુષ પોસ્ટ ટીકીટ ઉત્સવનું ઉદ્ઘાટન ગોવામાં કરવામાં આવેલ.


📖 આંતરરાષ્ટ્રીય

💮 ભારત અને રશિયા દેશના સૈન્ય વચ્ચે ‘ઈન્દ્ર-૨૦૧૭’ યુદ્ધ અભ્યાસ શરુ કરવામાં આવશે.

💮 સીરિયાના રક્કા નામના સ્થળને અમેરિકા સમર્થિત સુરક્ષા દળ દ્વારા ઈસ્લામિક સ્ટેટથી મુકત કરાવી લેવામાં આવેલ છે.

💮 અમેરિકી લેખક જોર્જ સાંડર્સને હાલમાં મેન બુકર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા છે…

💮 દક્ષિણ સુદાનમાં કાર્યરત ૫૦ જેટલા ભારતીય શાંતિરક્ષકોને હાલમાં સયુંકત રાષ્ટ્ર મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

💮 બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના યુવાન અક્ષય રૂપારૈલીયા સૌથી નાની વયના કરોડપતિ બન્યા છે.

💮 વયોવૃદ્ધ બ્રિટીશ અભિનેતા રોય ડોટ્રેસનું લંડનમાં અવસાન થયેલ છે,તેઓ ૯૪ વર્ષની વયના હતા.

💮 પ્રખ્યાત ભારતીય અમેરિકી અજય રાજુને અમેરિકામાં સદકાર્યો માટે ત્રીજા અમેરિકન બજાર ફ્રીલેનથ્રોપી એવોર્ડથી સન્માનિત કરવામાં આળ્યા છે…

💮 પાકિસ્તાન નેપાળ અને અફઘાનિસ્તાન સહીત ૧૫ દેશોને સયુંકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પસંદ કરવામાં આવ્યા છે.


📖 રમત -જગત

💮 હાલ પાકિસ્તાની ક્રિકેટર ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને દસ લાખ રૂપિયાનો પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

💮 હાલમાં ડબલ્યુ.ડબલ્યુ.ઈ . સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ કવિતા દેવી છે.

💮 હાલમાં સાન મેમસ સ્ટેડીયમને વિશ્વનું સૌથી સારું સ્ટેડીયમ જાહેર કરવામાં આવેલ છે.


📖 અન્ય

💮 સ્નેપડીલના મુખ્ય નાણા અધિકારી અનુપ વકીલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.

💮 એક સર્વે અનુસાર ભારતમાં સૌથી પ્રામાણિક બ્રોડ તરીકે ગૂગલને રથાન મળેલ છે.

💮 દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે ડીઝલ જનરેટર પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે…



👉 નોધ:- તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે Share કરો.

Monday, June 19, 2017

ई-द्रष्टि" मेगेजिन नी "May 2017" नी करंट अफेर्स


*📚 भारत नी सौथी लोकप्रिय "ई-द्रष्टि" मेगेजिन नी "May 2017" नी करंट अफेर्स बुक प्रकाशीत थई गई छे*
*🔺 जे तमने TET 1, TET 2, GPSC, UPSC, क्लर्क परीक्षा, बैंक परीक्षा, रेलवे परीक्षा माटे खुब उपयोगी थसे*
*🚸 इंडिया लेवल नी तमाम स्पर्धात्मक परीक्षा ओ माटे खुब ज उपयोगी बुक*
*⚠ Size :- Only 3 MB*
*📲 डाउनलोड करवा नीचे नी लिंक Google Chrome मां ओपन करो*

                 http://www.edristi.in/en/

Monday, May 22, 2017

પીએમ મોદીનો ગુજરાત કાર્યક્રમ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૨૨મી અને ૨૩મી મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમો નીચે મુજબ છે.

_*૨૨મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* વડાપ્રધાન મોદી બપોરે ૧૨.૩૦ વાગે દિલ્હીથી ભુજ આવવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.

* બપોરે ૩ વાગે રીસેન્ટલમેન્ટ કોર્પોરેશન હોલ ગાંધીધામ પહોંચશે અને જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુર્હૂત કરશે.

* સાંજે ૪ વાગે કંડલા એરપોર્ટથી ભચાઉ રવાના થશે.

* સાંજે ૫ વાગે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનોહ કેનાલ અને પબ્લિક મીટિંગ કરશે.

* સાંજે ૭ વાગે મોદી ભુજથી અમદાવાદ જવા રવાના થશે.

* રાત્રે ૮ વાગે મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

_*૨૩મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*

* સવારે ૮.૩૦ વાગે વડાપ્રધાન મોદી રાજભવનથી મહાત્મા મંદિર જશે અને ૧૧ વાગ્યા સુધી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.

* સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી હેડ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેશે.

* બપોરે ૧૨ વાગ્યે મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે.

Sunday, May 21, 2017

મુંબઈ-ગોવા વચ્ચે 22 મેથી દોડશે લક્ઝરિયસ તેજસ એક્સપ્રેસ; WiFi-LCD સુવિધાથી સભર હશે આ ટ્રેન


મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટ્રેનના કોચીસ ચેન્નાઈની ઈન્ડિયન કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે.
આ ટ્રેન કલાકના 130 કિ.મી.ની ઝડપે દોડશે અને મુંબઈ-ગોવા વચ્ચેનું અંતર સાડા આઠ કલાકમાં પૂરું કરશે.
તમામ કોચીસમાં બાયો-વેક્યૂમ ટોઈલેટ્સ છે, ઉપરાંત વોટર લેવલ ઈન્ડિકેટર્સ, ટેપ સેન્સર્સ, હેન્ડ ડ્રાયર્સની પણ સુવિધા છે. ભારતીય રેલવેમાં ટ્રેનમાં પ્રવાસીઓને આ પહેલી જ વાર આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સપ્તાહમાં પાંચ દિવસ દોડનારી આ ટ્રેન મુંબઈ સીએસએમટીથી સવારે પાંચ વાગ્યે ઉપડશે અને કરમાલી બપોરે 1.30 વાગ્યે પહોંચશે. એવી જ રીતે, ટ્રેન કરમાલીથી બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સીએસએમટી રાતે 11 વાગ્યે પહોંચશે.
આ ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ક્લાસ અને ચેર ક્લાસ છે. કોચીચની અંદર જ ચા અને કોફીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. તદુપરાંત મેગેઝિન્સ, નાસ્તાના ટેબલ્સ, એલસીડી સ્ક્રીન્સ અને વાઈ-ફાઈ સુવિધા પણ છે.
ટિકિટ ભાડાંની હજી જાહેરાત કરાઈ નથી, પરંતુ શતાબ્દી તથા અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતાં આ ટ્રેનનું ભાડું 30 ટકા વધારે હશે.

Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ

Baahubali 2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.
એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ ‘બાહુબલી-2’ ની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે. નાના-નાના બાળકોનાં મુખ પર પણ અત્યારે બસ ખાલી બાહુબલીનું નામ છે અને આ ફિલ્મના ડાયલોગ છે. કમાણીનાં મામલે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી ચૂકી છે. ભારતીય સિનેમામાં એક અલગ ઈતિહાસ રચનાર આ ફિલ્મ દુનિયાભરનાં લોકોએ જોઈ લીધી છે.Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ

હોકી: India માટે ૧૦૦મી મેચ રમવાની સિદ્ધિ મેળવતી મિડફિલ્ડર નવજોત કૌર


હેમિલ્ટન: ન્યૂઝીલેન્ડ સામેની હોકી સિરીજ દરમિયાન ચોથી મેચમાં India તરફથી ૧૦૦મી રમવાની વિશિષ્ટ ઉપલબ્ધિ મિડફિલ્ડર નવજોત કૌરે મેળવી છે.
ન્યૂઝીલેન્ડ ખાતે રમાઈ રહેલી પાંચ મેચોની સિરીજમાં ચોથી મેચમાં India ની મિડફિલ્ડર નવજોત કૌરે ૧૦૦મી મેચ રમવાની અનોખી સિદ્ધિ મેળવી છે. નવજોત કૌરે વર્ષ ૨૦૧૨માં ન્યૂઝીલેન્ડની સામે જ નેપિયરમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પદાર્પણ કર્યું હતું.
કુરુક્ષેત્રમાં જન્મેલી નવજોત કૌરે જૂનિયર એશિયા કપ અને નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય અન્ડર-21 ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને સિનિયર હોકી ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી. ત્યારથી જ નવજોત સતત ભારતીય ટીમનો હિસ્સો બની રહી છે.
આ દરમિયાન નવજોત કૌરે India માટે હોકી વિશ્વ લીગ સેમીફાઈનલમાં, ૧૭માં એશિયાઈ ખેલ, 2016 રિયો ઓલિમ્પિક, ચોથી એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી અને મહિલા હોકી વિશ્વ લીગ રાઉન્ડ-બેમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા હોકી ટીમની અન્ય ખેલાડી ડિફેન્ડર સુનિતા લાકડાએ ત્રીજી મેચમાં પોતાની ૧૦૦મી મેચ રમી હતી, આ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ૨-૩ થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સુનિતાની આ સિદ્ધિ ઢંકાઈ ગઈ હતી.

Thursday, April 20, 2017

સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદઘાટન

પીએમ નરેન્દ્ર મોદીએ સુરત ખાતે 400 કરોડના ખર્ચે બનેલ કિરણ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સુરત પધારેલ પીએમ મોદીએ સોમવારે સવારે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે

આ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હોસ્પિટલનું લોકાર્પણ થયું એનો આનંદ છે, પરંતુ હું શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે અને જો આવવાનું થાય તો બીજી વાર ન આવવું પડે. મને દુવિધા હતી કે હિંદીમાં બોલવું કે ગુજરાતીમાં. છેલ્લે હિંદીમાં બોલવાનું નક્કી કર્યું, જેથી દેશને પણ ખબર પડે કે કેવું કામ થઇ રહ્યું છે.'
તેમણે આગળ કહ્યું કે, દાતાઓને સૌએ બિરદાવ્યા, પરંતુ હું નહીં બિરદાવું. કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. આપવાના સંસ્કારો સાથે આવ્યા છે. ધનથી નહીં, પરિવારભાવથી આ હોસ્પિટલ બની છે.
સ્વચ્છતાનું પર્યાય સુરત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત પધાર્યા છે. અહીં જનસભા સંબોધનમાં સુરતની સ્વચ્છતાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતાની આદત હોવી જોઇએ. સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ આંખે ઊડીને વળગે એવી સ્વચ્છતા હતી, દિલ્હીથી આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઇને દંગ રહી ગયા હતા.



👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

ડાયમંડ યુનિટનું ઉદઘાટન

હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ઇચ્છાપોર ખાતે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતા. ઉદઘાટન બાદ મોદીએ હરે કૃષ્ણ બોલી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ પીએમ છે એટલે અહીં નથી આવ્યા. મેં તો વર્ષો પહેલાં જ સવજીભાઇનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમના ગામ જઇ બાના હાથના રોટલા ખાવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું શક્ય ન બન્યું.

આર્થિક વિકાસના પંથે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલાં પીએમ તરીકે મોરારજીભાઇ દેસાઇ આપ્યા હતા. તેમણે આ ધરતીમાંથી આર્થિક વિકાસનું સપનું જોયું હતું. દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઇને સંતોષ આપતી. દેશને સુરત પાસે અપેક્ષા છે. સુરતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર કામ કર્યું છે, હવે આપણે રત્નો અને જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણે જ્વેલરીમાં નંબર 1 બનવાનું છે.

Wednesday, April 19, 2017

મોદી ની સુરત ખાતેની મુલાકાત


⏩વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત અને સુરત ખાતેની મુલાકાત પર સૌની નજર મંડાઇ છે. સુરતમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને તેમના સ્વાગત માટે થયેલ તાડમાર તૈયારીઓની સૌ જગ્યાએ ચર્ચા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ સુરત ખાતે પ્રથમ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા ઇચ્છાપોર પહોંચ્યા હતા.
♻♻🔲🔲♻♻
👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.
♻🌐♻🌐♻🌐♻🌐♻

ગુજરાતી સમાચાર પત્રો