Showing posts with label BREAKING NEWS. Show all posts
Showing posts with label BREAKING NEWS. Show all posts

Tuesday, December 25, 2018

બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે

■ પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે ઉદઘાટન કર્યુ છે.

■ આ પુલના કારણે અરુણાચલ અને સીમા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોમાં આવાગમન સરળ થઈ જશે.1997માં આ પુલનો શિલાન્યાસ કરાયો હતો.જોકે તેનુ કામ 2002માં અટલ સરકારે શરુ કરાવ્યુ હતુ.

■ જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.

■ હાલમાં દિબ્રુગઢથી અરુણાચલ જવા માટે વાયા ગૌહાટી થઈને જવુ પડે છે.જેનાથી 500 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવે છે.આ પુલના કારણે મુસાફરી ઘટીને 100 કિમી થઈ જશે.

Sunday, April 1, 2018

જીસેટ-6એનું સફળ પ્રક્ષેપણ

➥  ભારતના શક્તિશાળી કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-6એનું આજે ગુરુવારે સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સ્પેશ લોચિંગ સેન્ટરેથી આ ઉપગ્રહનું અંતરીક્ષગમન થયું છે.. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં ઉપગ્રહ સિમાચિન્હ સાબિત થશે.

➥  ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહના પ્રક્ષેપણ પછી ઈસરો કેટલીક મહત્વની સિસ્ટમનું પરીક્ષણ કરનાર છે. આ પૈકી કેટલીક સિસ્ટમ ચંદ્રયાન-2માં ગોઠવવામાં આવશે. ઉપગ્રહ આ ઉપરાંત ભારતીય સેના માટેની કમ્યુનિકેશન સિસ્ટમને વધુ સંગીન અને સુવિધાજનક બનાવશે.

➥  ઉગ્રપહ થકી હાઈ થર્સ્ટ ડેવલપમેન્ટ એન્જિન સહિતની અનેક સિસ્ટમનું પણ પરિક્ષણ થનાર છે. જેનો ઉપયોગ ચંદ્રયાન-2ના લોચિંગ માટે થઈ શકે છે. વર્તમાન વર્ષના ઓક્ટોબર સુધીમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાની શક્યતા છે.

➥  જીસેટ-6એનું વજન 2140 કિલો છે. શ્રીહરિસકોટાની સતીશ ધવન સ્પેસ સેન્ટરની બીજી લોંચ પેડથી જીસેટ-6એને લઈ જનાર જીએસએલવી એમકે-2 (જીએસએલવી-એફ08)નું પ્રક્ષેપણ કરાયું હતું. જીએસએલવી-એમકે 2નું આ 12મું ઉડ્ડયન હતું. ઈસરોના જણાવ્યા અનુસાર જીસેટ-6એ ઉપગ્રહ સંરક્ષણ સાથે સંકળાયેલી સેવાઓ પૂરી પાડશે.

➥  જીસેટ-6એમાં સામાન્ય કરતાં ત્રણો મોટો છ મીટર લાંબો એન્ટેના છે. આ એન્ટેના હેન્ડ હેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ દ્વારા કોઈ પણ જ્ગ્યાએથી મોબાઈલ કમ્યુનિકેશનને સરળ બનાવશે. હાલમાં જીસેટ-6 કેમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે.    

Sunday, December 31, 2017

૨૦૧૮ નુ આવનારુ વર્ષ ની શુભ કામના

આજનો દિવસ  એક અનોખો દિવસ છે...
અઠવાડીયા નો અંતિમ દિવસ,
મહિના નો અંતિમ દિવસ, અને
વર્ષ નો પણ અંતિમ દિવસ..
આપ સૌનું ૨૦૧૮ નુ આવનારુ વર્ષ સફળતા અપાવનારુ તથા સુખ સમૃધ્ધિ આપનારુ બની રહે તેવી પ્રભુ ને પ્રાર્થના.

દરેક ક્ષેત્રે વધુ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ.
 
By- Mahesh Nesdi

Friday, December 29, 2017

મંત્રી મંડળ

વિજય રૂપાણી સામાન્ય વહીવટ અને ગૃહ અને સાથે જ શહેરી વિકાસ પણ રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. ત્યારે ખાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સોંપવામાં આવ્યા છે.
ઇશ્વર પટેલ - સહકાર, રમત ગમત
વાસણ આહિર - સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
કુમાર કાનાણી - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાવરી દવે - મહિલા બાળ કલ્યાણ વિભાગ
રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા - ગૃહ, ઉર્જા અને સંસદિય બાબત, કાયદો
પરબત પટેલ - સિંચાઈ, પાણી પુરવઠો
પરસોત્તમ સોલંકી - મત્સ્ય ઉદ્યોગ
બચુ ખાબડ - ગ્રામગૃહ નિર્માણ
જયદ્રથસિંહ પરમાર - કૃષિ વિભાગ
રમણ પાટકર - વન અને આદિજાતી વિભાગ
કેબિનેટ પ્રધાન આર.સી.ફળદું - કૃષિ, ગ્રામ વિકાસ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણ
કૌશિક પટેલ - મહેસૂલ
સૌરભ પટેલ - નાણા, ઉર્જા
જયેશ રાદડીયા - અન્ન નાગરિક પુરવઠો
દિલીપ ઠાકોર - શ્રમ અને રોજગાર
ગણપત વસાવા - આદિવાસી વિકાસ, પ્રવાસન
ઇશ્વર પરમાર - સામાજિક ન્યાય અને આધિકારીતા

Wednesday, December 13, 2017

C Plane :: PM નરેન્દ્ર મોદી સી-પ્લેનની સફર

નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ સાબરમતી નદીમાં સી-પ્લેન મુસાફરી કરીને ધરોઈ ડેમ ખાતે લેન્ડિંગ કર્યું હતું ત્યાર બાદ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં.

સી-પ્લેનના વિદેશી પાયલટ જોન ગૌલેટ
સ્પાઇસ જેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી સી-પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરાયું હતું, જ્યાં કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સી-પ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Thursday, November 30, 2017

૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષ

ભારતનો ૧ રૂપિયો ૧૦૦ વર્ષનો થયો છે. આ સાથે જ તે સંગ્રહ કરવા લાયક ચીજ બની ગયો છે.
સદીના આ લાંબા સમયગાળામાં ૧ રૂપિયાનું મૂલ્ય ઘણું ઘસાઈ ગયું છે. આજે લોકો ભાગ્યે જ એક રૂપિયાની કિંમતમાં કંઈક ખરીદી શકે છે. મોટે ભાગે ચોકલેટ, પીપરમીંટ કે ધાણાદાળનું પડીકું ખરીદી શકે છે. ભારતના આ ચલણે બે વિશ્વયુદ્ધ જોયા છે, પરંતુ આ વર્ષોમાં એનું મૂલ્ય પણ સતત ઘટતું ગયું છે અને આજે તો એ વ્યવહારિક રીતે ઉપયોગમાંથી લગભગ આઉટ થઈ ગયો છે.

ભારત પર દોઢસો વર્ષ સુધી રાજ કરનાર બ્રિટિશ સરકારે ૧૯૧૭ની ૩૦મી નવેમ્બરે એક રૂપિયાની નોટ ચલણમાં મૂકી હતી.
ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
પોતાની ૧૦૦ વર્ષની સફરમાં એક રૂપિયાની નોટમાં ૪૪ વખત ફેરફારો કરવામાં આવ્યા છે. એક રૂપિયાની નોટ એકમાત્ર ચલણ છે જેનું પ્રિન્ટિંગ ભારત સરકાર કરે છે અને ભારતીય રીઝર્વ બેન્ક કરતી નથી. આ નોટ પર નાણાં સચિવનાં હસ્તાક્ષર હોય છે.
એક રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ ૧૯૯૪માં બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ ૨૧ વર્ષના ગાળા બાદ ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ફરી એનું પ્રિન્ટિંગ શરૂ કર્યું હતું.
એક રૂપિયાની નોટ ભારતનું મૂળ ચલણ હોવાથી સરકારે એનું પ્રિન્ટિંગ ફરીથી શરૂ કર્યું હોવાનું મનાય છે.
આ નોટ જોકે હવે ખાસ લોકોને જોવા મળતી નથી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં ઝવેરી બજાર અને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક રૂપિયાની ૧૦૦ નોટોનું એક બંડલ કાળા બજારમાં રૂ. ૬૦૦માં વેચાય છે. જૂની, પ્રાચીન ચલણી નોટોના સંગ્રહકો આટલી ઊંચી કિંમત ચૂકવીને પણ એક રૂપિયાની નોટ ખરીદતા અચકાતા નથી.

ગુજરાતના નવા ડીજીપી ઇનચાર્જ બન્યા પ્રમોદ કુમાર

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદ કુમારની વરણી
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે વયમર્યાદાને જોતા ડીજીપી પ્રમોદ કુમાર પણ માર્ચ 2018માં નિવૃત્ત થશે પણ ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે ડીજી તરીકે કામ ચાલુ રાખશે. નોંધનીય છે કે પ્રમોદ કુમાર 1983 બેચના અધિકારી છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા સમતે 3 નામોમાંથી પ્રમોદ કુમારના નામને લીલી ઝંડી આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ણય પછી હાલ 3 મહિના સુધી પ્રમોદ કુમાર આ પદ સંભાળશે.  ત્યારે નવા ડીજીપી તરીકે પ્રમોશન થતા પ્રમોદ કુમારના પરિવારજનો અને મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.

Wednesday, November 29, 2017

મુંબઈ રનવે બન્યો દુનિયાનો સૌથી બીઝી રનવે

મુંબઈઃ શુક્રવારના રોજ મુંબઈ એરપોર્ટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, એક જ રનવે પરથી 24 કલાકમાં કુલ 969 જેટલા પ્લેને ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું. અને આ સાથે જ મુંબઈ એરપોર્ટે પોતાના 935 ફ્લાઇટના બનાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડ્યો છે.

લગભગ, મોટાભાગના મેગાસીટીસમાં એરપોર્ટ પર 2 કે તેથી વધુ રનવે છે અને બંને રનવે એકસાથે કામ કરે છે જયારે મુંબઈમાં બે રનવે છે પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી કોઈપણ સમયે એક જ રનવેનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ટેક્નિકલી મુંબઈ એરપોર્ટ સિંગલ રનવે એરપોર્ટની કેટેગરીમાં આવે છે.

માહિતી અનુસાર, મુંબઈ એરપોર્ટ દરરોજ 900થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. અને એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે નજીકના સમયમાં જ 1000નો આંકડો પાર થઇ જશે. વૈશ્વિક વિમાન કંસલ્ટન્સી સંસ્થાના સેન્ટર ફોર એશિયા પેસિફિકના અધિકારીનું કહેવું છે કે વિશ્વમાં લંડનનું ગેટવિક એરપોર્ટ એકમાત્ર એરપોર્ટ છે જે નિયમિત રુપે એક કલાકમાં 50થી વધુ વિમાનોનું ટેકઓફ કરાવે છે. હવે મુંબઈ પણ 50થી વધુ પ્લેનના આંકડાને પાર કરી આવું બીજુ એરપોર્ટ બન્યું છે.

Tuesday, November 28, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું.


હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ મેટ્રોનું લીલી ઝંડી દર્શાવી ઉદઘાટન કર્યું. જોકે શહેરની જનતા માટે મેટ્રો ટ્રેન 29 નવેમ્બરથી શરુ કરવામાં આવશે. મેટ્રોના પ્રથમ તબક્કામાં નાગોલથી મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. આ માર્ગમાં કુલ 24 સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તેમની સાથે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા.
See more

Thursday, November 23, 2017

PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

manushi chhillar मिस वर्ल्‍ड मानुषी छिल्‍लर

Manushi Chhillar (born 14 May 1997) is an Indian model and beauty queen who was crowned Miss World 2017. She was previously crowned Femina Miss India 2017 on 25 June 2017. Chhillar is the sixth Indian woman to win Miss World, and the first since Priyanka Chopra won Miss World 2000.
 मिस वर्ल्‍ड 2017 का ख‍िताब जीतकर भारत का नाम रोशन करने वाली मानुषी छ‍िल्‍लर को दुनिया के कोने-कोने से बधाइयां मिल रही हैं. मानुषी जितनी खूबसूरत हैं उतनी अक्‍लमंद और हाजिरजवाब भी हैं. मिस वर्ल्‍ड के फाइनल राउंड में उन्‍होंने एक सवाल का ऐसा जवाब दिया कि दुनिया की सबसू खूबसूरत महिला का क्राउन उनके नाम हो गया. उनसे पूछा गया था कि किस प्रोफेशन को सबसे ज्‍यादा सैलरी मिलनी चाहिए. इस पर उन्‍होंने जवाब दिया था कि एक मां को सबसे ज्यादा इज्जत मिलनी चाहिए और जहां तक सैलरी की बात है, तो इसका मतलब रुपयों से नहीं बल्कि सम्मान और प्यार से है. उनके इस जवाब की खूब सराहना हो रही है. इस बीच कांग्रेस नेता शश‍ि थरूर ने मानुषी छिल्लर के सरनेम को करेंसी वाली चिल्लर से जोड़कर नोटबंदी के लिए बीजेपी को घेरने की कोशिश की थी.



Wednesday, May 3, 2017

SUB AUDITER EXAM


💐💐💐💐💐
SUB AUDITER EXAM DATE:-

11-06-2017..

💐💐💐💐💐💐💐

Friday, April 21, 2017

સોમનાથમાં અમિતાભના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આજે CM રૂપાણી કરાવશે પ્રારંભ

સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા 'ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેઇન અંતર્ગત અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શોનું CM રૂપાણી ઉદઘાટન કરશે.
આ શો માં 3D પ્રોજેક્શન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલનો ઉપયોગ કરાયો છે.


સોમનાથ– અરબી સમૃદ્રતટે સ્થિત ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા. ૨૧ એપ્રિલને શુક્રવારે સાંજે પ્રારંભ કરાવશે. વધુને વધુ ભવ્યતા ધારણ કરતાં સોમનાથ મંદિરે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦ લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા “ખુશ્બૂ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરનો ઇતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે ૧૩ વર્ષ બાદ ૨૦૧૬માં બંધ થતા “ખુશ્બુ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ આ શો માં ૩-ડી પ્રોજેક્સન અને મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શો નો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પ્રધાનમંડળનાં સભ્યો અધિકારીઓ – પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.




👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Thursday, April 20, 2017

સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું ઉદઘાટન

પીએમ નરેન્દ્ર મોદીએ સુરત ખાતે 400 કરોડના ખર્ચે બનેલ કિરણ મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સુરત પધારેલ પીએમ મોદીએ સોમવારે સવારે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલ રૂપિયા 400 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે

આ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હોસ્પિટલનું લોકાર્પણ થયું એનો આનંદ છે, પરંતુ હું શ્રાપ આપું છું કે લોકોએ હોસ્પિટલમાં ન આવવું પડે અને જો આવવાનું થાય તો બીજી વાર ન આવવું પડે. મને દુવિધા હતી કે હિંદીમાં બોલવું કે ગુજરાતીમાં. છેલ્લે હિંદીમાં બોલવાનું નક્કી કર્યું, જેથી દેશને પણ ખબર પડે કે કેવું કામ થઇ રહ્યું છે.'
તેમણે આગળ કહ્યું કે, દાતાઓને સૌએ બિરદાવ્યા, પરંતુ હું નહીં બિરદાવું. કારણ કે, આ લોકો જમીનમાંથી મોટા થયા છે. આપવાના સંસ્કારો સાથે આવ્યા છે. ધનથી નહીં, પરિવારભાવથી આ હોસ્પિટલ બની છે.
સ્વચ્છતાનું પર્યાય સુરત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર સુરત પધાર્યા છે. અહીં જનસભા સંબોધનમાં સુરતની સ્વચ્છતાના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતાની આદત હોવી જોઇએ. સુરત તો સ્વચ્છતાનું પર્યાય છે. રોડ શોમાં પણ આંખે ઊડીને વળગે એવી સ્વચ્છતા હતી, દિલ્હીથી આવેલા ઓફિસર પણ સુરતની સ્વચ્છતા જોઇને દંગ રહી ગયા હતા.



👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

ડાયમંડ યુનિટનું ઉદઘાટન

હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ઇચ્છાપોર ખાતે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતા. ઉદઘાટન બાદ મોદીએ હરે કૃષ્ણ બોલી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ પીએમ છે એટલે અહીં નથી આવ્યા. મેં તો વર્ષો પહેલાં જ સવજીભાઇનું નિમંત્રણ સ્વીકારી લીધું હતું. તેમના ગામ જઇ બાના હાથના રોટલા ખાવાનું નક્કી કર્યું હતું, પરંતુ એવું શક્ય ન બન્યું.

આર્થિક વિકાસના પંથે
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરતની ધરતીએ વર્ષો પહેલાં પીએમ તરીકે મોરારજીભાઇ દેસાઇ આપ્યા હતા. તેમણે આ ધરતીમાંથી આર્થિક વિકાસનું સપનું જોયું હતું. દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઇને સંતોષ આપતી. દેશને સુરત પાસે અપેક્ષા છે. સુરતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર કામ કર્યું છે, હવે આપણે રત્નો અને જ્વેલરી સેક્ટરમાં આગળ વધવાનું છે. આપણે જ્વેલરીમાં નંબર 1 બનવાનું છે.

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭ કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : ૧૧૮/૨૦૧૬૧૭
કોલ-લેટર ડાઉન લોડ કરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક/સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગ વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૧૮/૨૦૧૬૧૭ અન્વયે તા.૩૦-૦૪-ર૦૧૭ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા ભાગ-૧ માટે ઉમેદવારોએ તા.૨૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. ૩૦/૦૪/૨૦૧૭ બપોરના ૧૨-૦૦ કલાક સુધી પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https:// ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે.

Tuesday, April 18, 2017

લોકરક્ષક ભરતીનું Final પરિણામ


*💥💥BREKING NEWS:-ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતીનું Final પરિણામ જાહેર!*

👉તમારું ફાઇનલ પરિણામ જોવા ક્લિક કરો

👉મિત્રો શેર કરજો

Friday, April 14, 2017

News

ભીમ એપ્‍લીકેશનના માધ્‍યમથી વેકેશનમાં પણ યુવક-યુવતીઓ રપ હજાર સુધીની કમાણી કરી શકશેઃ નરેન્‍દ્રભાઇ મોદીઅહિ ક્લિક કરો

👉આ બ્લોગ ની પોસ્ટ્સ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment   Box પર પ્રતિસાદ મોકલી આપવા વિનંતી આભાર.

Saturday, April 8, 2017

तलाटी ऑर्डर बाबत नो लेटेस्ट न्यूज

तलाटी ना ऑर्डर सीएम ना हस्ते 10/4/2017 ना रोज महात्मा मंदिर खाते आपवामा आवशे

ગુજરાતી સમાચાર પત્રો