ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદ કુમારની વરણી
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વયમર્યાદાને જોતા ડીજીપી પ્રમોદ કુમાર પણ માર્ચ 2018માં નિવૃત્ત થશે પણ ચૂંટણી પુરી ના થાય ત્યાં સુધી તે ડીજી તરીકે કામ ચાલુ રાખશે. નોંધનીય છે કે પ્રમોદ કુમાર 1983 બેચના અધિકારી છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા સમતે 3 નામોમાંથી પ્રમોદ કુમારના નામને લીલી ઝંડી આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ણય પછી હાલ 3 મહિના સુધી પ્રમોદ કુમાર આ પદ સંભાળશે. ત્યારે નવા ડીજીપી તરીકે પ્રમોશન થતા પ્રમોદ કુમારના પરિવારજનો અને મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.
રાજ્યના પહેલા મહિલા ડીજીપી ગીથા જોહરી 30 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થયા છે. અને તેમની જગ્યાએ સરકારે પ્રમોદ કુમારને સિનિયોરીટી મુજબ નવા ડીજીપી જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગીથા જોહરીની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી નવા ડીજીપી કોણ બનશે તે મામલે સસ્પેન્શ રખાયું હતું. જો કે આજે આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે. માટે આ માટે ચૂંટણી પંચ સામે પણ રજૂવાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનાે કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારિંસહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઆે બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનાે લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પાેલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઆે અને મંત્રીઆે સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસાે બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રિષ્ટકોણથી એવા ઉચ્ચ પાેલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને 1983ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.