Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Wednesday, November 15, 2017

શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય

જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,

માતા :- શ્રી રાજબાઈ ઠક્કર

પિતા :- શ્રી પ્રધાન ઠક્કર

જન્મ સ્થળ :- ગામ વિરપુર

જનોઈ સંસ્કાર સંવત :-1870

લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે.

પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર

સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી.

સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી.,
ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી...

સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !

સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા.

સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા..

સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.

સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ...

સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.

સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.

સંતાન :- એક દીકરી - નામ - જમના બેન.

કોટડાપીઠા મુકામે તેમના લગ્ન થયા,

વિરપુર માં વંશ પૂજ્ય બાપા ના દીકરી ના દીકરા નો છે,

જેમને પૂજ્ય બાપા એ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દત્તક લીધા હતા..

જયજય જલારામ બાપા.

Saturday, May 6, 2017

સરદાર વલ્લભભાઈ પટેલ

જન્મની વિગતઓક્ટોબર ૩૧, ૧૮૭૫
નડીઆદ, ગુજરાત, ભારત.

મૃત્યુની વિગત ડિસેમ્બર ૧૫ ૧૯૫૦
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
રહેઠાણ કરમસદ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સરદાર
નાગરીકતા ભારતીય
વ્યવસાય વકિલાત
વતન કરમસદ
ખિતાબ ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)
ધર્મ હિન્દુ
જીવનસાથી ઝવેરબા
સંતાન મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ
માતા-પિતા લાડબા, ઝવેરભાઈ પટેલ



Friday, April 14, 2017

ભારતીય બંધારણના ઘડવૈયા


ભારતીય બંધારણના ઘડવૈયા,ભારત દેશના આદર્શ નેતા, દેશના પ્રથમ કાયદાપ્રધાન, એક રાષ્ટ્રનાયક, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં હિમાયતી, વર્ણ વ્યવસ્થા અને સામાજિક અસમાનતાના ભોગ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાત સમાજના મસીહા અને ઉદ્દારક ભારતરત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 126મી જન્મજયંતી નિમિતે સર્વે ભારત દેશની જનતાને ખુબ ખુબ શુભકામનાઓ..!

                   👉📚📚

Thursday, April 13, 2017

📚ચંદ્રવદન મહેતા 📚

👉૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે.

👉ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે

👉ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૬ એપ્રિલ, ૧૯૦૧ - ચોથી મે, ૧૯૯૧) પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર હતા અને કવિ હતા. તેઓ ચં. ચી. મહેતા અથવા ચંદ્રવદન મહેતા એવા ટુંકા નામે ઓળખાતા હતા.


👉૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.


👉ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. 

👉ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. 

👉મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.


👉૧૯૩૬માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 

👉૧૯૪૨માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 

👉૧૯૫૦માં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણ ચંદ્રકનો તેમણે અસ્વિકાર કર્યો હતો.

 👉૧૯૬૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.

👉૧૯૭૧માં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયાં માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

 👉૧૯૭૧માં તેમને ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. 

👉૧૯૮૪માં, તેમને સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.


👉આગગાડી ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક છે. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે.
👉આગગાડીનું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે આર્યન રોડ તરીકે કર્યું છે.

👉બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી 'આત્મકથાનો' એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે.

👉ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.



👉૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે.

ગુજરાતી સમાચાર પત્રો