વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ૨૨મી અને ૨૩મી મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમો નીચે મુજબ છે.
_*૨૨મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*
* વડાપ્રધાન મોદી બપોરે ૧૨.૩૦ વાગે દિલ્હીથી ભુજ આવવા રવાના થશે.
* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.
* બપોરે ૨.૧૫ કલાકે ભુજ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કંડલા એરપોર્ટ જવા રવાના થશે.
* બપોરે ૩ વાગે રીસેન્ટલમેન્ટ કોર્પોરેશન હોલ ગાંધીધામ પહોંચશે અને જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુર્હૂત કરશે.
* સાંજે ૪ વાગે કંડલા એરપોર્ટથી ભચાઉ રવાના થશે.
* સાંજે ૫ વાગે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનોહ કેનાલ અને પબ્લિક મીટિંગ કરશે.
* સાંજે ૭ વાગે મોદી ભુજથી અમદાવાદ જવા રવાના થશે.
* રાત્રે ૮ વાગે મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.
_*૨૩મી મે ૨૦૧૭ના કાર્યક્રમ*
* સવારે ૮.૩૦ વાગે વડાપ્રધાન મોદી રાજભવનથી મહાત્મા મંદિર જશે અને ૧૧ વાગ્યા સુધી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે.
* સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી હેડ ઓફ સ્ટેટ મીટિંગમાં ભાગ લેશે.
* બપોરે ૧૨ વાગ્યે મોદી મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને ત્યાંથી તેઓ દિલ્હી જશે.