Thursday, March 30, 2017

પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું.


પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકાયું, લાખો નાગરિકોને અમદાવાદ લાંબા નહીં થવું પડે 28 માર્ચ. 2017 17:34 પાલનપુર-ઉત્તર ગુજરાતમાં વસતાં લાખો નાગરિકો માટે મોટી રાહતની વ્યવસ્થા પાસપોર્ટ સેવાને લઇને આજથી મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ દ્વારા પાસપોર્ટ કેન્દ્રની મુલાકાત લઇને નાગરિકોને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાસપોર્ટ કેન્દ્રમાં આવનારા નાગરિકો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારના નાગરિકોને આ પાસપોર્ટ સેવાકેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો શ્રેય તેમણે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરીને આપ્યો હતો.તેમણે કહ્યું કે, પાલનપુરમાં પાસપોર્ટ ઓફિસ બનવાથી બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને ઘરઆંગણે પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને પણ લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત શહેરી વિકાસપ્રધાન શંકર ચૌધરીએ જણાવ્યું કે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થતાં અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ પાસપોર્ટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની છે. અમદાવાદ રીજિઓનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાનીએ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા થતી કામગીરીની વિગતો આપી નાગરિકોને સારી સુવિધાઓની ખાતરી આપી હતી. મોર્ડન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી પારદર્શી, જવાબદારીયુક્ત અને નક્કી કરેલા સમયાવધિ અનુસાર નાગરિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે.

Friday, March 24, 2017

દિવસ.

🐝20 માર્ચ 🎯 ચકલી દિવસ,
🌿21 માર્ચ 🎯વન દિવસ, 
😂22 માર્ચ 🎯 જળ દિવસ
🌻23 માર્ચ 🎯 મોસમ દિવસ.....
👁24 માર્ચ 🎯ટી બી દિવસ

💐🏏ચકલી વન માં પાણી પીવા ગઈ મોસમ બગડી એટલે ચકલી ને ટી બી થઇ.

ત્રિભુવનદાસ લુહાર‘સુન્દરમ્

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ,
(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર,
 વિવેચક. 

🤴🏻ઉપનામ👉🏻 ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’

👉🏻જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં.

👉🏻ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, 

👉🏻૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે.

👉🏻 ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. 

👉🏻૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. 

👉🏻૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. 

👉🏻૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. 

👉🏻👑૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 

👉🏻👑૧૯૪૬માં મહીડા પારિતોષિક, 

👉🏻👑૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, 
👉🏻👑૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. 

👉🏻👑૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

👉🏻એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે.

👉🏻📚‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે.

👉🏻📙‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે.

👉🏻📚📚📚કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,

બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં

નવલકથા – પાવકના પંથે

વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

ચરિત્ર – શ્રી અરવિંદ મહાયોગી

નિબંધ – ચિદંબરા, સા વિદ્યા

પ્રવાસ – દક્ષિણાયન

નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા

વિવેચન – અર્વાચીન કવિતા,
 અવલોકના, સમર્ચના,

Thursday, March 23, 2017

mahesh181218.com: Save Children

mahesh181218.com: Save Children: *દુખ* ઘણુ છે ઍમ ના કહો, *'સહનશક્તિ'* ઓછી છે ઍમ કહો.. *'સહેતા'* આવડી જાય, તો... *'રહેતા'* પણ આવડી જાય છે......

ગુજરાતી સમાચાર પત્રો